Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

PTC Admission 2024 D.El.ED. Admission Pre-PTC Admission 2024 Gujarat

પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાં સને ૨૦૨૪-૨૫ પ્રથમ વર્ષ (D.EI.Ed ) ( પી.ટી.સી.)
પ્રવેશ અંગેની જાહેરાત



અરજીની તારીખ: 

તા.૨૮/૦૫/૨૦૨૪ થી તા ૧૧/૦૬/૨૦૨૪


અરજી ક્યાં કરવી: જે તે સંસ્થામાં 


સંસ્થાની યાદી: અહી ક્લિક કરો 


પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી

રાજયમાં એન.સી.ટી.ઇ. દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી/બિનસરકારી અનુદાનિત,તેમજ સ્વનિર્ભર અધ્યાપન મંદિર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં ગુજરાતી/હિન્દી/ઉર્દુ/મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા બે વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાં (D.EL.ED) અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે શિક્ષણ વિભાગના તા.૩૦/૬/૨૦૨૦ના ઠરાવ ક્રમાંકઃ ટીસીએમ/૧૪૧૨/૭૦૨/ન ની જોગવાઇ અનુસાર વિ-કેન્દ્રીકૃત પ્રવેશ નીતિ મુજબ ઉક્ત અભ્યાસક્રમ ચલાવતી સંસ્થાઓનો સીધો સંપર્ક કરવાનો રહેશે. પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરીની gujarat-education.gov.in/primary ઉપર સંસ્થાઓની યાદી મુકવામાં આવેલ છે. આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે સંસ્થા દ્વારા નિયત કરવામાં આવેલ નમૂનાનાં ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે. ઉમેદવાર એક કરતા વધુ સંસ્થામાં પણ અરજી કરી શકશે અને ઉમેદવારને મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.


તા.૨૮/૦૫/૨૦૨૪ થી તા ૧૧/૦૬/૨૦૨૪ (રવિવાર સિવાય) સવારના ૧૧-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક દરમ્યાન ૩.૨૫/- રોકડાથી જે અઘ્યાપન મંદિરમા પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે અધ્યાપન મંદિર માંથી પ્રવેશ ફોર્મ મેળવી શકશે અને ભરેલ ફોર્મ તે અઘ્યાપન મંદિરમાં તા. ૧૧/૦૬/૨૦૨૪ સાંજે ૫-૦૦ કલાક સુધીમાં પરત આપવાના રહેશે. પ્રવેશ ફોર્મ જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો જેવા કે,એચ.એસ.સી.માર્કશીટ, ટ્રાયલુ સર્ટીફીકેટ,સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, શારીરિક ખોડ ખાપણનો દાખલો, જાતિ પ્રમાણપત્ર સાથે જોડવાના રહેશે. સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ તા.૦૧/૦૪/૨૦૨૪ પછીનું નોન ક્રિમીલેયર ( Non creamy layer) સર્ટીફિકેટ રજુ કરવાનું રહેશે અને તે અગાઉનું નોન- ક્રિમીલેયર સર્ટીફીકેટ હશે તો તેની માન્યતા મુદત તા ૩૧/૦૩/૨૦૨૫ સુધીની હોવી જોઈશે. 'આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેના પાત્રતા પ્રમાણપત્રોની માન્યતા મુદત તા ૩૧/૦૩/૨૦૨૫ સુધીની હોવી જોઈશે.


(૧)પ્રવેશ માટે જરૂરી લાયકાતઃ- ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (ધોરણ-૧૨) વિજ્ઞાન પ્રવાહ, સામાન્યપ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉતર બુનિયાદી પ્રવાહમાં ઉર્તિણ કરેલ હોવી જોઇશે.


( ૨) પ્રવેશ માટે લઘુતમ ગુણઃ- ઉમદવારે ધોરણ-૧૨માં નિયત કરેલ પ્રવાહોની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ મેળવેલા હોવા જોઇએ પરંતુ અનામત કક્ષાઓ જેવી કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારે ઓછામાં ઓછા ૪૫ ટકા ગુણ મેળવેલા હોવા જોઇએ. 

(૩) પ્રવેશનું માધ્યમઃ- ઉમેદવારે જે માધ્યમમાં ધોરણ-૧૦ ની પરીક્ષા પાસ કરેલ હશે તે જ માધ્યમમાં પ્રવેશને પાત્ર રહેશે. 

(૪) વયમર્યાદાઃ- જે ઉમેદવારો તા.૦૧/૦૭/૨૦૨૪ના રોજ ૨૪ વર્ષથી વધુ ઉમરના ન હોય તેવા તમામ ઉમેદવારો પ્રવેશપાત્ર ગણાશે. અનુસૂચિત જાતિ / અનુસુચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (બક્ષીપંચના) તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ઉમરમાં ૫ વર્ષની છૂટછાટ રહેશે અને ૩૩ વર્ષની ઉમર સુધીના વિધવા બહેનો પ્રવેશને પાત્ર રહેશે.



પ્રિ.પી.ટી.સી. (બાલ અધ્યાપન મંદિર)માં વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રવેશ અંગેની જાહેરાત

 ગુજરાત સરકાર માન્ય ગ્રાન્ટેડ તથા સ્વનિર્ભર બાલ અધ્યાપન મંદિરોમાં બે વર્ષના પ્રિ.પીટીસી ( બાલ અધ્યાપન મંદિર) અભ્યાસક્રમમાં સને ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

(૧) પ્રવેશ માટે શૈક્ષણિક લાયકાત:- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ-૧૨ (એચ.એસ.સી.) પરીક્ષા ઉત્તિણ કરેલ હોવી જોઇશે.પ્રવેશ એચ.એસ.સી. (ધોરણ-૧૨) ના ગુણાનુક્રમે મળવાપાત્ર રહેશે.


(૨) પ્રવેશ માટે ઉમર:- જે ઉમેદવારીની ઉંમર તા. ૧/૭/૨૦૨૪ ના રોજ ૨૪ વર્ષથી વધુ ન હોય તેવા ઉમેદવારો પ્રવેશને પાત્ર ગણાશે. અનામત કક્ષાના ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદામાં ૫ વર્ષની છુટ મળશે.


(૩) અનામત બેઠકોઃ- અનુસૂચિત જાતિ ૭ %, અનુસૂચિત જનજાતિ ૧૫ % વિકલાંગ ઉમેદવારો માટે જે તે કેટેગરીમાં ૫ % બેઠકો સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે ૨૭ % અનામત રહેશે તથા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ૧૦% બેઠકો અનામત રહેશે.


(૪) પ્રવેશ અરજી મેળવવા તથા ભરેલ અરજીઓ આપવા અંગેઃ- તા. ૨૮/૦૫/૨૦૨૪ થી તા૧૧/૦૬/૨૦૨૪ સુધી (રવિવાર સિવાય) સવારના ૧૧-૦૦ થી બપોરના ૨-૦૦ કલાક દરમ્યિાન રૂ|.૨૦/- રોકડા આપવાથી ઉમેદવારો જે બાલ અધ્યાપન મંદિરમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તે બાલ અધ્યાપન મંદિરમાંથી પ્રવેશ ફોર્મ મળશે. જે ભરેલા અરજીપત્રક તે જ બાલ અધ્યાપન મંદિરમાં તા.૧૧/૦૬/૨૦૨૪ સુધીમાં પરત આપવાના રહેશે. પ્રવેશ ફોર્મ જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો જેવા કે એસ.એસ.સી/ એચ.એસ.સી.માર્કશીટ ટ્રાયલ સર્ટીફીકેટ સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ શારીરિક ખોડખાપણનો દાખલો તથા જાતિ પ્રમાણપત્ર સાથે લઇ જવાના રહેશે. સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ તા.૦૧/૦૪/૨૦૨૪ પછીનું નોન ક્રિમીલેયર ( Non creamy layer) સર્ટીફિકેટ રજુ કરવાનું રહેશે અને તે અગાઉનું નોન-ક્રિમીલેયર સર્ટીફીકેટ હશે તો તેની માન્યતા મુદત તા ૩૧/૦૩/૨૦૨૫ સુધીની હોવી જોઈશે. આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેના પાત્રતા પ્રમાણપત્રોની માન્યતા મુદત તા ૩૧/૦૩/૨૦૨૫ સુધીની હોવી જોઈશે.




(૫) સ્વનિર્ભર પ્રિ.પી.ટી.સી. સંસ્થામાં વાર્ષિક ફી રૂા.૧૫૦૦૦/- રહેશે. અનુદાનિત બાલ અધ્યાપન મંદિરોની યાદીઃ-

૧. શ્રી બી.એમ.પટેલ બાલ ૨ અધ્યાપન મંદિર, ડાકોર રોડ, નડિયાદ, જી. ખેડા (બહેનો માટે 
 ૨.શ્રી દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિર, ભાવનગર, જિ. ભાવનગર (મિશ્ર ) 
3. શ્રી કે.જે.મહેતા કોલેજ ઓફ પ્રિ.પ્રાયમરી એજયુકેશન, કલ્યાણ મંદિર કેમ્પસ, વિધામંદિર, પાલનપુર (મિશ્ન)


સ્વનિર્ભર બાલ અધ્યાપન મંદિરોની યાદી 

  1. શ્રીમતી ઝેડ.એસ.પટેલ પ્રિ.પી.ટી.સી. કોલેજ, ” વિધાકુંજ સંકુલ “ વિધાકુંજ સર્કલ, સુભાષચંદ્ર બોઝ માર્ગ, પાલનપુર જકાતનાકા, અડાજણ વેસ્ટ, જિ.સુરત- ૯ (બહેનો- અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ) 
  1. ગુજરાત બાલ અધ્યાપન મંદિર, પ્રિતમનગર અખાડા સામે, એલિસબ્રીજ, અમદાવાદ-૬, (મિશ્ર)
  1.  શ્રી જ્ઞાનમંદિર પ્રિ.પી.ટી.સી. કોલેજ, અંબિકા ચર્ચ પાસે, પાલનપુર, જિ. બનાસકાંઠા (બહેનો માટે) 
  1. શ્રી આર.જી.પટેલ પ્રિ.પી.ટી.સી. કોલેજ, મણુંદ, તા.પાટણ જિ.પાટણ ( બહેનો માટે ) 
  1. શ્રી હાથીભાઇ વાલુભાઇ મહેતા ઇન્ગ્લીશ મીડીયમ કોલેજ ઓફ અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન, પાલનપુર (અંગ્રેજી માધ્યમ) 
  1. શ્રી સ્વામીનારાયણ સંસ્કાર દીપ ટ્રસ્ટ મુ ઝુંડાલ તાં- જિ ગાંધીનગર (બહેનો -ગુજરાતી માધ્યમ)
PTC Admission 2024 D.El.ED. Admission Pre-PTC Admission 2024 Gujarat

PTC Admission 2024 D.El.ED. Admission Pre-PTC Admission 2024 Gujarat





No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment